ભાવનગર

દેરાસરની સાલગીરી મહોત્સવ ઉજવાયો

શેત્રુંજી ડેમ તીર્થના શ્રીમદ રાજચંદ્ર સત્સંગ કેન્દ્ર ખાતે શ્રી આદિનાથ દાદાની 15 મી વર્ષગાંઠ ની ધ્વજા મહોત્સવ સાથે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે સત્તરભેદી પૂજા ભણાવવામાં આવેલ, જેમાં કચ્છ ગઢશિશા નિવાસી રોહિતભાઈ દેઢિયા, પ્રવીણભાઈ દેઢીયા પરિવાર તથા ધ્વજાના લાભાર્થી કૌશિકભાઇ (મુંબઈ) પરિવારે લાભ લીધો હતો.આ સાલગીરી મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રાવક,શ્રાવિકાઓ, ચતુર્વિધ સંઘએ ભક્તિ ભાવપૂર્વક આત્મકલ્યાણ અનુષ્ઠાન નો પાવન લાભ લીધો હતો.સંસ્થાના સ્થાપક ભાઈ શ્રી મનસુખભાઈ બારોટ ના સાનિધ્યમાં આ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Related Posts