સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસે છે. જેમાં મોટાભાગના લોકો શ્રમજીવી છે. જેથી ઘણા માતા-પિતા બાળકોને ઘરમાં મુકીને સવારથી કામ – ધંધે નીકળી જાય છે. જેને કારણે પાંડેસરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અનેક કિસ્સા બનેલા છે. પાંડેસરા પોલીસે આવા ગુમ થયેલા ૧૧૧ બાળકોને શોધી પરિવાર સાથે ગુમ બાળકોમાં કુલ ૬૦ છોકરા અને ૫૧ છોકરી મિલન કરાવ્યું હતું. ગુમ થયેલા ૧૧૧ બાળકોને પાંડેસરા પોલીસે શોધી પરિવારને સોંપ્યા છે. બાળકો ગુમ થવાના બનાવમાં પાંડેસરા પોલીસ સૌથી અગ્રેસીવ થઈને કામગીરી કરી છે.
પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બાળકોના ગુમ થવાના બનાવોની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સોર્સિસના આધારે ગુમ થયેલા ૧૧૧ બાળકોને શોધી કાઢ્યા હતા. પાંડેસરા પોલીસે ૮ મહિનામાં ૧૧૧ બાળકોને શોધી પરિવારને સોંપ્યા છે. આ ગુમ બાળકોમાં ૬૦ છોકરા અને ૫૧ છોકરી છે. તેમા ૬૪ બાળકો ૫ વર્ષથી નાની વયના છે. ૨૧ બાળકો ૬ થી ૧૦ વર્ષની ઉમરના છે. બીજા ૨૧ બાળકો ૧૧ થી ૧૫ વર્ષની ઉમરના છે અને ૫ બાળકો ૧૬ થી ૧૮ વર્ષની ઉમરના છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાળકો ગુમ થવાના કિસ્સા અવાર નવાર બનતા હોય છે. કારણકે પાંડેસરામાં ભૂતકાળમાં બાળકી ગુમ થયા બાદ બળાત્કાર અને હત્યાના પણ ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે . છેલ્લા ૮ મહિનામાં જ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ બાળકો ગુમ થવાના કિસ્સા ન બને તે માટે પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પાંડેસરા ભેસ્તાન ઉધ્યોગ ભારતી સ્કુલ ખાતે ‘ડે કેર’ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.
જેમાં નોકરીયાત માતા – પિતા પોતાના બાળકોને સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી મુકી નિશ્ચિત પણે નોકરી કરી શકશે. તેમજ આ ‘ડે કેર’માં શિક્ષકોની સુવિધાઓ છે. જેમાં આખા દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને તેઓના ભવિષ્ય માટે સજ્જ કરશે. તથા અહીં બાળકોને સુરક્ષિત તથા સ્વસ્થ વાતાવરણ તેમજ સારૂ જમવાનું પુરૂ પાડવામાં આવે છે.સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોને ઘરમાં મૂકીને કામ ધંધે નીકળી જતા બાળકોના ગુમ થવાના અનેક બનાવો સામે આવ્યા છે. જાે કે આ બાબતમાં ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને પાંડેસરા પોલીસે છેલ્લા આવા કેટલાક ગુમ થયેલા બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. જે છેલ્લા ૮ માસમાં કોઇને કોઇ રીતે માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા.
Recent Comments