અમરેલી

સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે ધજડી  ગામના ચારમઢવાળા માતાજીએ હરિના બાળકોની મુલાકાત લીધી

પૂ. ભક્તિરામ બાપુની ગેરહાજરીમાં માનવમંદિરના આજીવન સેવક ઈલાબેન કુબાવતે માતાજીનું ઉમળકાભેર આવકાર આપી સ્વાગત કર્યું

સાવરકુંડલા પાસે આવેલ ધજડી ગામે ચાર મઢવાળા માતાજી સાવરકુંડલાના માનવમંદિર હરિના બાળકોની મુલાકાતે આવેલ આ તકે માનવ મંદિરના સેવક ઇલાબેન કુબાવત માતાજીનું સ્વાગત સત્કાર કરેલ.  તેમજ માનવમંદિરની ચોસઠ જોગણીઓ સાથે રાસ ગરબા રમી માતાજીએ રાજીપો વ્યક્ત કર્યો.
આમ તો માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ જ્યારે કોઈ કામે બહાર જવાનું થાય ત્યારે ઈલાબેન કુબાવત બાપુની ગેરહાજરીમાં મહેમાનોને આવકાર સત્કાર તથા હરિના બાળકોની દેખરેખની સંપૂર્ણ જવાબદારી પણ વહન કરતાં જોવા મળે છે. હરિના બાળકોને નિયમિત રીતે ડોક્ટર સાહેબે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા તમામને વ્યક્તિગત રીતે ખૂબ અંગત ધ્યાન અને સસ્નેહ આપે છે. આમ પૂ. બાપુની ગેરહાજરીમાં આ તમામ પડકારજનક જવાબદારીઓ સહર્ષ સ્વીકાર સેવાકાર્ય કરતાં જોવા મળે છે.

Related Posts