અમરેલી

ભીંગરાડ ગામે માનવતાવાદી ડો હરેશ ઇટાળિયા સ્વર્ગીય માતા પિતા ની પુણ્યસ્મૃતિ માં નેત્રરક્ષા અભિયાન અંતર્ગત સમસ્ત ગામજનો ની દ્રષ્ટિ ચકાસણી

લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ પ્રેરિત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ના સહયોગ થી ચાલતા નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ આજે  ભીંગરાડ ગામે માનવતા વાદી તબીબ ડો હરેશ ઇટાળિયા ના સ્વર્ગીય માતા પિતા સ્વ.જીજીબેન કરમશીભાઈ ઈટાળીયા સ્વ.પ્રવીણભાઈ કરમશીભાઈ ઈટાળીયા ની પુણ્યસ્મૃતિ માં સદગત ના પુત્ર રત્ન ડો હરેશ ઇટાળિયા ના આર્થિક સહયોગ થી માદરે વતન ભીંગરાડ ખાતે યોજાયું હતું  કોવિડ ૧૯ માં પણ સતત વતન માટે સેવારત ડો ઇટાલીયા એ કોવિડ સેન્ટર માં અવાર નવાર અવિરત સેવા જાણીતી છે નેત્રરક્ષા અભિયાન ના બહુહેતુક આયોજન જનજાગૃતિ નેત્રદાન દ્રષ્ટિ મૂલ્યવાન છે તેના જતન જાળવણી થી સર્વ ને અવગત કરતા નિષ્ણાંત તબીબી સ્ટાફ દ્વારા અતિ અદ્યતન ટેકનોલોજી સાધનો દ્વારા સમગ્ર ગામ માં સંપૂર્ણ વિના મૂલ્યે દ્રષ્ટિ ચકાસણી બ્લડ પ્રેસર ની તપાસ કરાય હતી 

Related Posts