કુંકાવાવ તાલુકાના સનાળા ગામે સ્મશાનની છાપરી અતિ જર્જરીત થઈ ગયેલ હતી જે નવી બનાવવા માટે તથા સુર્યપ્રતાપગઢ ગામે શિવ મંદિર પાસે કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે અને વાવડી રોડ ગામે ગામમાં ગંદા પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર બનાવવાના કામે સનાળા, સુર્યપ્રતાપગઢ અને વાવડી રોડ ગામના ગ્રામજનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી કુંકાવાવ તાલુકાના સનાળા ગામે સ્મશાન છાપરી, સુર્યપ્રતાપગઢ ગામે શિવ મંદિર પાસે કંમ્પાઉન્ડ વોલ અને વાવડી રોડ ગામે ભુગર્ભ ગટર બનાવવા કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. સનાળા, સુર્યપ્રતાપગઢ અને વાવડી રોડ ગામના ગ્રામજનોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો.
કુંકાવાવ તાલુકાના સનાળા, સુર્યપ્રતાપગઢ અને વાવડી રોડ ગામનો પ્રાણ પ્રશ્ન હલ કરતા : પરેશભાઈ ધાનાણી

Recent Comments