ભારત અદ્યતન ટેક્નોલોજી અને નેનો યુરીયાના આધારે ખેતિ અને સહકારી પ્રવૃતિમા મુલ્યવર્ધક બળ પુરૂ પાડવામા સક્ષમ બનવા તરફ હરણફાળ ભરી રહયાનું વિદેશની ધરા ટ્રાન્સ – પેરીસ ખાતે આયોજીત ગ્લોબલ ઈનોવેશન કો.ઓપ.સમીટને સંબોધતા રાષ્ટ્રિય સહકારી નેતા , ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવેલ છે . સમીટમા ભાગ લેતા સંઘાણીએ વધુમા જણાવેલ કે , ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી પ્રવૃતિ વિકાસની દિશા બને જેમા સ્માર્ટ ફોન , ડ્રોન , ઈન્ટરનેટ , માહિતી અને પ્રસારણ , સંચાર ટેકનોલોજીના મહ્તમ ઉપયોગ સાથે સહકારી પ્રવૃતિ અને ઓછા પાણીએ પણ સારૂ ખેત ઉત્પાદન મેળવવા નેનો યુરીયાની ઉપયોગીતાપર ભાર મુકવામા આવેલ .
કૃષિ , પશુપાલન સાથે જોતરાયેલ સહકારી પ્રવૃતિઓએ હવે અનેક ક્ષેત્રમા પદાપર્ણ તે દિશામાં પણ નિહાળવા યોગ્ય છે જેમા બિન ઉપજાઉ જમીનમાં વનિકરણ , સુર્ય પ્રકારને વિજ ઉત્પાદનમા કંન્વર્ટ કરવા સોલાર પેનલ , ફળદ્રુપ જમીનની યોગ્યતા , તંદુરસ્ત બીયારણ , વાતાવરણના અભ્યાસ થકી પાકોની વાવણી અને ઉત્પાદન સહિતમાં સમગ્ર વિશ્વને ભારત માર્ગદર્શક બળ પુરૂપાડી સહકાર થી સમૃધ્ધિ તરફના વૈશ્વિક પ્રયાસમા સામેલ થવા હાકલ કરી હતી .
Recent Comments