સાવરકુંડલા તાલુકાના ભુવા ગામનાં ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર અને પ્રકૃતિપ્રેમી રણધીરભાઈ વિછીયાનો જન્મદિવસ હોય તેના ચાહકો મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.
રણધીરભાઈ પોતે મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તેમને લોકસાહિત્યકાર તરીકે માણવા એ પણ એક અનોખો લ્હાવો છે. તેમને તેમના જન્મદિવસની આ રળિયામણી ઘડીએ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
Recent Comments