૫ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી અને મિશન ૨૦૨૪ ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરના ભારતીય જનતા પાર્ટીના ૧૦ લાખ બુથ સ્તરના કાર્યકરોને સંબોધિત કર્યા. ભોપાલથી સમગ્ર દેશના કાર્યકરોને સંબોધિત કરતા વડાપ્રધાન ઇલેક્શન મોડમાં જાેવા મળ્યા. તેમણે વિપક્ષી એકતા અંગે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ મજબૂરીમાં ભેગા થયા છે. તેમના પર ગુસ્સો નહીં દયા ખાવી જાેઈએ. કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં એક કાર્યકરે વિપક્ષી એકતાને લઈ વડાપ્રધાનને પ્રશ્ન કર્યો હતો. જેનો જવાબ આપતા વડાપ્રધાને કાર્યકરને કહ્યું કે તમને બહુ ગુસ્સો આવી રહ્યો છે. પરંતુ તમારે ગુસ્સો નહીં વિપક્ષી એકતા પર દયા ખાવી જાેઈએ કારણ કે તેઓ મજબૂરીમાં ભેગા થયા છે. ૨૦૨૪ પૂર્વે સત્તાધારી પાર્ટી ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ રહી છે. થોડા દિવસ પહેલાં પટનામાં વિપક્ષી પાર્ટીઓના વડાઓએ બેઠક કરી હતી. જે અંગે આજે પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરતા કહ્યું કે આ લોકો ૨૦૧૪ અને ૨૦૧૯ માં પણ આવી જ રીતે ભેગા થયા હતા. જે લોકો પહેલા એકબીજાને દુશ્મન કહેતા હતા એ આજે શાશ્વત પ્રણામ કરી રહ્યા છે.
આ વિપક્ષી દળોની મજબૂરી છે. જે એમની ગભરામણ સ્પષ્ટ છે કે ૨૦૨૪ માં પણ ભાજપ જ આવશે. ૨૦૨૪ માં ફરી એકવાર ભાજપની પ્રચંડ વિજય નક્કી છે એટલે વિપક્ષી દળો જનતાને દ્વિધામાં નાખવા પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ તેમની રાજનીતિમાં ગેરંટી વધુ આપતી હોવા મળી રહી છે. ચાહે ગેરંટી કાર્ડની વાત હોય કે સત્તામાં આવવા માટે આપવામાં આવેલ વચન અંગેની ગેરંટી હોય. વડાપ્રધાને પોતાની વાતમાં આ ‘ગેરંટી’ શબ્દનો ઉપયોગ કરતા જણાવ્યું કે આજકાલ આપણને ‘ગેરંટી’ શબ્દ ખૂબ સંભળાઈ રહ્યો છે. ખરા અર્થમાં તો એ વિપક્ષી પાર્ટીઓ કરોડોના કૌભાંડ અને ભ્રષ્ટચારની ગેરંટી છે. વિપક્ષી એકતાનો જે ફોટો દેખાઈ રહ્યો છે એમાં સામેલ લોકોએ ૨૦ લાખ કરોડના ગોટાળા કર્યા છે એ એટલે એ ગોટાળાની ગેરંટી છે. માત્ર કોંગ્રેસનો ગોટાળો જ કરોડોનો છે. કોલગેટ, મનરેગા, કોમનવેલ્થ, સબમરીન ગોટાળો, કોઈ એવું ક્ષેત્ર નથી કે જેમાં કોંગ્રેસે ગોટાળો ના કર્યો હોય.
લોકો સમજી ચુક્યા છે અને ગોટાળાની ગેરંટીને લોકો સ્વીકાર નહીં કરે. ઁસ્એ કહ્યું કે એ લોકોની ગોટાળાની ગેરંટી છે તો તેમની સામે કાર્યવાહીની મારી ગેરંટી છે. જેમને દેશને લૂંટયો છે એમનો હિસાબ થઈ ને જ રહેશે. અત્યારે જ્યારે કાનૂનનો દંડો ચાલે છે એટલે બચવા માટે ભેગા થઈ રહ્યા છે. કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે જાે તમે ગાંધી પરિવારના દીકરા-દીકરીનું ભલું કરવા માંગતા હોય તો કોંગ્રેસને મત આપો. લાલુજીના દીકરાનું ભલું કરવા માગતા હો તો ઇત્નડ્ઢને મત આપો. એવી જ રીતે અન્ય પરિવારવાદવાળી પાર્ટીના સભ્યોના નામ ગણાવી કહ્યું કે એમના દીકરીઓ કે પરિવારનું ભલું કરવા માંગતા હોવ તો એમને મત આપજાે પરંતુ જાે તમે તમારા દીકરા-દીકરી કે પરિવારજનોનું ભલું કરવા માંગતા હોવ તો તમારો મત ભાજપને આપજાે.
Recent Comments