અમરેલી

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવા, ઉદ્યોગજગતનો અનુભવ અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PM Internship Scheme) અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ દેશના ૧૮ થી ૨૫ વર્ષ વયજૂથના ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ, પોલિટેકનિક ડિપ્લોમા અથવા સ્નાતક થયેલા અને જેમના પરિવારની વાર્ષિક આવક રૂ. ૮ લાખથી વધુ ન હોય તેવા યુવાનો અરજી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ આગામી પાંચ વર્ષ દરમિયાન દેશના એક કરોડ યુવાનોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ કરાવી તેમને રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ કરવાનો છે.

આ યોજના વિશે વધુ માહિતી મેળવવાની સાથે ઉમેદવારી  https://pminternshi.mca.gov.in/login. પર નોંધાવી શકાશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અમરેલીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts