અમરેલી

અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા તોતીગ વેરા વધારો પૂર્ણ વિચાર કરી પાછો ખેંચે

અમરેલી નગરપાલિકા ભલે A ગ્રેડ ની નગરપાલિકા ઓ માં સ્થાન પામી હોય પરંતુ અમરેલી ના લોકો ની આવક મર્યાદા નો ખ્યાલ આ તોતિંગ વેરા વધારો કરીયો ત્યારે અમરેલી શહેર ના લોકો ની આવક અંગે અભ્યાસ 

કરીયા વગર અમરેલી ભાજપ શાસિત નગર પાલિકાના ના શાસકો એ મન ઘડત નિર્ણય કરી અમરેલી શહેર ની પછાત પણું ભોગવતી જનતા જનાર્દન ઉપર વેરાનો બોજ ડબલ કરી વધારા રૂપી પ્રહાર કરી અમરેલી શહેર ના દરેક ઘરના રસોડા સુધી આ ડબલ વેરા વધારો નો બોજ નાખ્યો છે તેની તેની સીધી અસર અમરેલી શહેર માં વસતા દરેક પરિવાર ભોગવી રહ્યા છીએ આર્થિક સ્થિતિ ઉપર પડી છે.

અમરેલી શહેર જિલ્લો એ ગુજરાત નો સૌથી પછાત જિલ્લા શહેર તરીકે ની નામના ધરાવે છે ત્યારે  અમરેલી માં લોકો ની આવક સ્ત્રોત ઓછા છે ગુજરાત ના બીજા જિલ્લા ની તુલનામાં માં અમરેલી જિલ્લા શહેર માં મસ મોટા ઉદ્યોગ ધંધા નથી કે જ્યાં માસ્ક એટલે કે મોટા પ્રમાણ માં રોજગારી મળી શકે એવી અને ઊંચું વેતન મેળવી શકે બીજા જિલ્લા ઓ માં મળતું વેતન અને અમરેલી શહેર માં મળતા વેતન માં બવ મોટા ફેર જોવા મળે છે  ત્યારે આ ડબલ વેરા વધારો નો નિર્ણય કરિયો તે પહેલા લોકો ની આવક અંગે સંપૂર્ણ અભ્યાસ કરી આગળ વધવું જોઇએ શહેર માં વસતા દરેક પરિવાર ની એવેરજ આવક પ્રમાણે નગરપાલિકા એ કરવેરા ઉઘરાવવા જોઈએ અમરેલી શહેર માં વસતા મધ્યમ ગરીબ સહિત વર્ગ ના  લોકોને પોતાનું ગુજરાન ચાલવા સંઘર્ષ કરવો પડતો હોય છે એમાંય જો ઓચિતા દવાખાનો નો ખર્ચ આવી જાય તો તે પરિવાર ની આર્થિક સ્થિતિ ગંભીર બની જાય છે ત્યારે આ ડબલ વેરા વધારા નો નિર્ણય તે અમરેલી શહેર ના લોકો માટે એક દાજયા પર ડામ શાબિત થયો છે ગત અમરેલી શહેર માં નગરપાલિકા અને વિધાનસભા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને અપાર પ્રેમ આપી વિધાનસભા માય ભાજપ ની જીત થઈ છે ને  અમરેલી નગરપાલિકા  પણ   ભાજપ શાસિત હોય ત્યારે આ તોતિંગ કરવેરા વધારો નો નિર્ણય કરી લોકો એ આપેલા અપાર પ્રેમ રૂપી જીત ની  સામે આજ આ અમરેલી શહેર માં વસતા દરેક લોકો ને આ મોટી દુઃખ દાયક ભેટ આપી છે પીડા રૂપી ઘા  આપ્યો છે જે આ અમરેલી શહેર જનતા જનાર્દન ભૂલી શકે તેમ નથી 

. વધુ માં વધુ અમરેલી ના વેપારીઓ જ્યારે અત્યારે ઓનલાઈન વેપાર ફાટ્યો ફુલ્યો હોય ત્યારે મોટા કૉમ્પ્યુટીસન નો સામનો અમરેલી શહેર ના વેપારી ઓ ને પણ  કરી રહ્યા હોય ત્યારે કોમર્શિયલ નળ કનેકસન હોય કે દુકાન નામ બદલાવાની ટ્રાન્સફર ફી પણ ડબલ થઈ ગઈ છે.મળતી માહિતી મુજબ અમૂક વિસ્તારમાં માં તો એટલી મસમોટી ટ્રાન્સફર ફી નો સ્લેબ વધ્યો છે કે એ ભાવ માં વેપારી ઓ ને ઓનરશિપ થી પોતાની  દુકાન સહેલાયથી ખરીદી કરી શકે છે વેપારી આલમ માં પણ મોટી નિરાશા છવાઈ ગઈ છે ને વેપારી ઓ આ ડબલ વેરા વધારા ના નિર્ણય થી નિરાશ થયા છે.

Related Posts