લાઠી તાલુકા માં સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ની ઉજવણી અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોશી ની સૂચના થી ડો. અલ્પેશ સાલ્વી અને ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ ગામો માં સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ છે. ફેઝ ૫ અંતર્ગત ત્રણ તબક્કા માં સાત દિવસ સુધી ચાલુ રહેનાર આ કાર્યક્રમ માં આરોગ્ય કાર્યકરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, સુપર વાઈજરો અને આશા ની ટીમ બનાવી અંતરિયાળ વિસ્તારો માં રહેતા, અંધશ્રદ્ધાને લીધે કે કોઈ પણ કારણોસર રસીકરણ થી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો ને તેમના ઘરે જઈ વાલી ને સમજાવી રસીકરણ નો લાભ આપવાનું આયોજન કરેલ છે. તેમજ તમામ લાભાર્થીઓ ના નિયમિત ટ્રેકિંગ માટે કેન્દ્ર સરકાર ના યુ – વીન પોર્ટલ માં તેની એન્ટ્રી પણ કરવા માં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) ના પ્રતિનિધિઓ એ પણ સેશન સાઈટ ની મુલાકાત લઈ કાર્યક્રમ ની સમીક્ષા કરી ઉપયોગી સૂચનો કર્યા હતા. આ અભિયાન ને સફળ બનાવવા ડો. મુકેશ સિંઘ, ડો. સાગર પરવડીયા, ડો. રોહિત ગોહિલ, ડો. શીતલ રાઠોડ, ડો. હરિવદન પરમાર, બાલ મુકુંદ જાવિયા, નયના પરમાર વગેરે મેડિકલ ઓફિસર અને સુપરવાઈઝર ની ટીમ દ્વારા સઘન સુપરવિઝન કરી કચેરી ના તમામ કર્મચારીએ વિશેષ જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.
લાઠી તાલુકા માં સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ની ઉજવણી

Recent Comments