લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/IMG-20230828-WA0171.jpg)
લાઠી તાલુકાના દેસાઈ પરિવારના જાગૃત યુવાનો ની સમજણથી આંખોનું ચક્ષુદાન અને પાર્થિવ શરીર દેહદાન ની અનોખી પહેલ”સુરત ની ભૂમિ દાનવીર કર્ણ ની ભૂમિ ગણાય છે”. અહિયાં જીવતે જીવ તો ઘણાં બધાં પ્રકારના દાન દેવામાં આવતા હોય છે. પરિવાર ના સદસ્યના મૃત્યું બાદ દુઃખદ ઘટના માં પણ દાન આપવાનો દેસાઈ પરિવારના યુવાનો અને મોભીઓનો નિણર્ય દેશ ના સર્વાંગી વિકાયાત્રામાં સહયોગી પુરવાર થશે.સ્વર્ગસ્થ શ્રી નાનજીભાઈ પાંચાભાઇ દેસાઈ દુઃખદ અવસાન થતા, સમગ્ર પરિવાર જનોએ દ્વારા દેહદાન નો સંકલ્પ કરાયો હતો.. આ ચક્ષુદાન અને દેહદાનના કાર્ય માટે”પી પી સવાણી હોસ્પિટલ” ના વિપુલભાઈ તળાવીયા નો કોન્ટેક્ટ કર્યો તેમણ ચક્ષુદાન અને દેહદાન માટે માટે દિનેશભાઈ પટેલ, “ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી”, ચોર્યાસી તાલુકા બ્રાંચ અને ડૉ.પ્રફુલભાઈ શિરોયા, “લોકદ્રષ્ટિ ચક્ષુબેંક”, સુરતનો સંપર્ક કરાવેલ હતો
અનેત્યાર પછી તેઓએ દેહદાન માટે પ્રફુલભાઈ ને જણાવતા તેઓ એ “કિરણ હોસ્પિટલ” તરફથી ડૉ. મેહુલભાઈ પંચાલ, ડૉ. અલ્પાબેન પટેલ અને નિલેશભાઈ વિઠાણી ના સહયોગથી સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે “કિરણ મેડિકલ કોલેજ” ને ભારત દેશના ભાવિ ડૉકટર વિધાર્થીઓ માટે તબીબી શિક્ષણ અને સંશોધન અર્થે દેહદાન આપવામાં આવેલ છે. “કિરણ મેડિકલ કોલેજ” સુરતના ડીન ડૉ.આર. ડી. પટેલ સાહેબ, ડૉ. પવન ગોયલ સાહેબ, અને ડૉ. જે. રાજ્યગુરુ મેડમ તથા તેમની ટીમ દ્વારા પાર્થિવ દેહદાન નો સ્વિકાર કરવામા આવેલ છે.દાનવીર (સ્વર્ગસ્થ) નાનજીભાઈ પાંચાભાઇ દેસાઈ ના આત્માને ભગવાન શાંતિ આપે અને પરબ્રહ્મ પરમાત્મા તેનાં ચરણોનું સુખ આપે તેવી પ્રાર્થના…દાનવીર પરિવાર ના ગંગાસ્વરૂપ સવિતાબા નાનજીભાઈ દેસાઈ, પુત્ર રજનીભાઈ, પૌત્ર વધુ ગીતાબેન, પુત્રી ઉષાબેન, પુત્રી વિનોદાબેન તથાધન્ય છે લાઠી વાળા સમસ્ત દેસાઈ પરિવારને ….
Recent Comments