ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ‘શ્રી નિર્દોષાનંદજી આશ્રમ, સાવરકુંડલા’ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના આ ઉત્તમ કાર્યમાં સ્થાનિક લોકો તેમજ સંસ્થાના સભ્યોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી નિર્દોષાનંદજી આશ્રમના તમામ સેવકગણ તેમજ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના તમામ હોદ્દેદારો અને મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
કેમ્પ દરમિયાન દાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેના પરિણામે માત્ર ૩ કલાકના ટૂંકા સમયગાળામાં જ ૫૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને સુચારૂ કામગીરી બદલ બ્લડ બેન્ક ઓફ સાવરકુંડલાના સમગ્ર સ્ટાફની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.


















Recent Comments