અમરેલી

સાવરકુંડલા શહેરમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલય ખાતે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. 

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિતે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તેમજ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અટલધારા કાર્યાલય ખાતે દીર્ઘાયુ  યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ તકે બ્રહ્મસમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, ન. પા. ના તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે સાવરકુંડલા શહેરમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે સાવરકુંડલા શહેરની આંખની હોસ્પિટલ ખાતે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જે આજે પણ લોકોની સ્મૃતિ પટ પર તરવરતું જોવા મળે છે.આમ સાવરકુંડલા શહેરની ધરતી પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુભચિંતકોની યાદી પણ ખૂબ લાંબી છે.

Related Posts