આ ઐતિહાસિક ઘડીને વધાવવા માટે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ ધનાબાપુના આશ્રમે, અમરેલી રોડ, મારૂતિનગર, સાવરકુંડલા ખાતે સાંજના ૬:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, મોરચાના તમામ હોદ્દેદારો નાના-મોટા સૌ કાર્યકર્તાઓ અને મહિલા આગેવાનોએ બહોળી સંખ્યામાં ધના બાપુના આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા સંસદની અંદર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની આગેવાનીમાં સ્ત્રીઓ માટે 33% અનામતનું ઐતિહાસિક બીલ સંસદમાં રજુ થયુ.

Recent Comments