અમરેલી

સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો.

તારીખ 28/03/2024 ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા  નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ  ની અંદર ઓપીડી માં 80 દદીઁઓએ લાભ લીધો હતો. તેમજ મોતિયા ના ઓપરેશન માટે 30 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનુ દિપ પ્રાગટય કબિર ટેકરી ના મહંત નારાયણ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા, જિતેનભાઇ હેલૈયા, ચીમનભાઈ નાથજી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ,  સુદર્શન નેત્રાલય ના કર્મચારી   નિલેશભાઈ ભીલ તથા કબીર ટેકરી ના સ્વયં સેવકો વગેરે લોકોએ સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરુવારે છેલ્લા 13 વર્ષ થી યોજાય છે…

Related Posts