ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે તુષાર કપૂરે મુંબઈ લોકલમાં સફર કર્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/8-16-1140x620.jpg)
મહારાષ્ટ્રના મુંબઇમાં રહેતા લોકો માટે ટ્રાફિક ની સમસ્યા હંમેશા ચર્ચાનો મોટો વિષય હોય છે, એમાંથી તો સેલિબ્રિટીઝ પણ બાકાત રહ્યા નથી. તાજેતરમાં જ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા તુષાર કપૂરે લોકલ ટ્રેનમાં સફર કરતો ફોટો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. ટ્રાફિકથી છુટકારો મળે એ માટે કેટલીક સેલિબ્રિટીઝને ટ્રેન કાં તો મેટ્રોનો પ્રવાસ કરવામાં સમજદારી લાગે છે. તુષાર કપૂરે વિરાર થી ચર્ચ ગેટ સુધી લોકલ ટ્રેનમાં સફર કર્યો હતો જેથી સમયની બચત થાય સાથેજ ટ્રાફિક થી દૂર રહેવાય. લોકલ ટ્રેનની યાત્રાની નાનકડી ઝલક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરીને અભિનેતા તુષાર કપૂરે લખ્યું હતું કે, ‘જો વિરાર-ચર્ચગેટવાળી રેલવેની ફર્સ્ટ ક્લાસ સીટ પર બેઠા હો તો એક સેલ્ફી-વિડિયો તો લેવો જ જોઈએ. મુંબઈના અંતરિયાળ વિસ્તારમાં શૂટિંગ હતું. જ્યાં ચાહ હોય ત્યાં રાહ હોય છે. એથી ભયંકર ટ્રાફિકથી બચવા માટે ટ્રેનમાં પ્રવાસ કર્યો.’
Recent Comments