દાહોદના ધાનપુરમાં તળાવમાં બે તરુણના ડૂબી જવાથી કરુણ મોત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/11-12-1140x620.jpg)
દાહોદના ધાનપુરમાં અંદરપુરા ગામનાં બે તરુણ ઉધાલ મહુડાના તળાવમાં ડૂબ્યા છે. આ યુવકો અંદરપુરા ગામેથી ઉધાલ મહુડા તળાવ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા. અહીં તળાવમાં નાહવા જતા ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંને તરુણના પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇન્દ્રજીત અભેસિંગ બારીયા તેમજ હાદિર્ક વિજય બારીયા બંને તરુણ તળાવમાં નાહવા જઈએ છીએ તેવું ઘરે કહીને ગયા હતા. જાણકારી પ્રમાણે બન્ને તરૂણો એક જ ગામના છે.
તો સ્વાભાવિક છે કે, એક જ ગામના બે તરુણના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. અત્યારે ધાનપુર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી દીધી છે. ઘરેથી નાહવાનું કહીને ગયા હતા પરંતુ તેમને ક્યા ખબર હતી કે, બન્ને નાહવા માટે જાય છે. હાલ આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પોતાના સંતાનોને ખોવાના દુઃખમાં તેમની માતાએ હૈયાફાટ રૂદન કરી રહીં છે. આ સાથે સાથે સમગ્ર ગ્રામજનોમાં પણ અત્યારે ભારે શોકનો માહોલ છે.
Recent Comments