અમરેલી

15 મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમરેલીના ખેડૂત પુત્ર સહકારી આગેવાન દિલીપ સંઘાણી નિમંત્રણ

આવનારા સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું દ્વારા ઇફકો અને એન.સી.યુ.આઈ ના ચેરમેન સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણી ને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેમાં દેશના વિભિન્ન ભાગોમાંથી અલગ અલગ પ્રકૃતિ રજૂ કરવામાં આવે છે તેમજ જે તે રાજ્યના સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કલ્ચર ઇવેન્ટ્સ પણ રાખવામાં આવે છે, સ્વાતંત્ર દિવસ નિમિત્તે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા આપણા અમરેલી જિલ્લાના શ્રી દિલીપભાઈ સંઘાણી ને ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ પાઠવેલ છે તેવું કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે

Related Posts