રાષ્ટ્રીય

ભારતીય નૌકાદળની ફ્રન્ટલાઈન સ્ટીલ્થ ફ્રિગેટ INS તબર ડેનમાર્ક પહોંચ્યું

ભારતીય નૌકાદળનું જહાજ ૈંદ્ગજી તબર બે દિવસની મુલાકાતે ડેનમાર્ક પહોંચી ગયું છે. ભારતીય નૌકાદળની ફ્રન્ટલાઈન સ્ટીલ્થ ફ્રિગેટ ૈંદ્ગજી તબર, કેપ્ટન એમઆર હરીશના કમાન્ડ હેઠળ, બે દિવસની મુલાકાત માટે ડેનમાર્કના એસ્બજર્ગ પહોંચી ગયું છે. ૈંદ્ગજી તબરની આ મુલાકાત ભારત અને ડેનમાર્ક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મુલાકાતનો હેતુ બંને દેશોની નૌકાદળ વચ્ચેના વર્તમાન સંબંધોને વધારવાનો છે. એસ્બજર્ગ બંદરમાં તેના રોકાણ દરમિયાન જહાજના ક્રૂ સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત ડેનિશ સશસ્ત્ર દળો સાથે વિવિધ દ્વિપક્ષીય વ્યવસાયિક ક્રિયા-પ્રતિક્રિયાઓમાં પણ ભાગ લેશે. ભારતીય નૌકાદળ વિશ્વભરના નૌકાદળો સાથે ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારત અને ડેનમાર્ક સંરક્ષણ સંબંધો સહિત ઘણા ક્ષેત્રોમાં સારા રાજદ્વારી સંબંધો ધરાવે છે.

જહાજના આગમન પર, હેન્ડલ પર ભારતીય-ડેનમાર્ક નામ સાથે ‘ઠ’ પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ડેનમાર્કની શુભેચ્છા મુલાકાતના ભાગરૂપે જહાજ એસ્બજર્ગ બંદરે પહોંચ્યું છે. આ સાથે આગળ લખ્યું છે કે આ અવસર ભારત અને ડેનમાર્ક વચ્ચે મજબૂત મિત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ૈંદ્ગજી ્‌ટ્ઠહ્વટ્ઠિ શસ્ત્રો અને સેન્સરની બહુમુખી શ્રેણીથી સજ્જ છે. આ જહાજ ભારતીય નૌકાદળના પ્રારંભિક સ્ટીલ્થ ફ્રિગેટ્‌સમાંનું એક છે. આ જહાજ ભારતીય નૌકાદળના પશ્ચિમી ફ્લીટનો એક ભાગ છે. તે વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ મુંબઈમાં આવેલું છે.

આ જહાજ અત્યાર સુધીમાં બે વખત રશિયન નેવી ડે પરેડમાં ભાગ લઈ ચૂક્યું છે. આ જહાજની મહત્તમ ઝડપ ૩૦ નોટ છે. તે દુશ્મનની સપાટીના જહાજાે અને સબમરીન તેમજ હવાઈ લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. ભારત અને ડેનમાર્ક વચ્ચેના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બર ૧૯૪૯માં શરૂ થયા હતા. બંને દેશો વચ્ચે અનેક કરારો અને ભાગીદારી આગળ ધપાવવામાં આવી રહી છે. આ કરાર હેઠળના મુખ્ય મુદ્દાઓમાં કોવિડ-૧૯ રોગચાળા સાથે વ્યવહાર અને જળ સંકટની સ્થિતિમાં સહયોગનો પણ સમાવેશ થાય છે. ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ બંને દેશો વચ્ચેની મોટી ભાગીદારી છે.

Related Posts