વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ??ગુજરાતના સુરતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વોટર હાવેર્સ્ટિંગ પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી અને તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં લોકભાગીદારી અને જન આંદોલન દ્વારા જળ સંરક્ષણ અને પ્રકૃતિ સંરક્ષણનું અનોખું અભિયાન ચાલી રહ્યું છે. અમે તેને લોન્ચ કરીને ખુશ છીએ. વડા પ્રધાને કહ્યું કે તાજેતરમાં દેશના ઘણા ભાગોમાં વરસાદને કારણે ભારે તબાહી થઈ છે. દેશનો ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે કે જેને આ સમસ્યાનો સામનો ન કરવો પડ્યો હોય. પરંતુ આ વખતે ગુજરાત એક મોટા સંકટથી ઘેરાયેલું હતું. પીએમ મોદીએ કહ્યું કે હું ઘણા વર્ષો સુધી ગુજરાતનો મુખ્યમંત્રી હતો પરંતુ મેં આટલા બધા તાલુકાઓમાં એક સાથે આટલો ભારે વરસાદ ક્યારેય સાંભળ્યો નથી કે જાેયો નથી. તેમણે કહ્યું કે, ગુજરાતના લોકોનો પોતાનો સ્વભાવ છે. આપણા દેશના લોકો એટલા સક્ષમ છે કે સંકટના સમયે દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવીને એકબીજાની મદદ કરે છે.
તેમણે કહ્યું કે આજે પણ દેશના ઘણા ભાગો એવા છે જે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સાથે વડાપ્રધાન મોદીએ વોટર હાવેર્સ્ટિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જળ સંચય એ માત્ર એક યોજના નથી. આ એક પ્રયાસ છે અને પુણ્ય કાર્ય પણ છે. વડાપ્રધાને કહ્યું કે આ મિશનમાં ઉદારતા અને જવાબદારી બંને છે. આ માત્ર સંસાધનોનો પ્રશ્ન નથી, પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. પીએમ મોદીએ કહ્યું કે રિપોર્ટ દર્શાવે છે કે જલ જીવન મિશન દ્વારા ૧.૨૫ લાખથી વધુ બાળકોના અકાળે મૃત્યુને રોકી શકાય છે. અમે દર વર્ષે ૪ લાખથી વધુ લોકોને ઝાડા જેવા રોગોથી બચાવી શકીશું. આ સાથે વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, મેં દેશવાસીઓને પર્યાવરણની સુરક્ષા માટે ‘માતાના નામે એક વૃક્ષ’ વાવવાની અપીલ કરી છે. જ્યારે વૃક્ષો વાવવામાં આવે છે ત્યારે ભૂગર્ભજળનું સ્તર પણ ઝડપથી વધે છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં આ અભિયાન હેઠળ દેશમાં કરોડો વૃક્ષો વાવવામાં આવ્યા છે.
Recent Comments