અમરેલી

 સેવા સેતુ કાર્યક્રમઃ ૨૦૨૪ – જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે.આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે. સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.બગસરા તાલુકા ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૪ શાપર ખાતે યોજાયો હતો, રાજય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે ૨,૧૯૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

ડીવમીંગ ૧,૦૫૪, ૪૫૪ રસીકરણ, ૪૨૩ મેડિસિન સારવાર, ડાયાબિટિસ અને બીપી ચકાસણી  હેલ્થ વેલનેસ કાર્ડ ૮૫,  આધાર કાર્ડ સુધારા (અપડેશન) ૨૨, પશુ ગાયનેલોજીકલ સારાવાર ૨૦, પીએમ કિસાન પોર્ટલ સેલ્ફ રજિસ્ટ્રેશન ૧૬, પીએમજેમા ૧૬ અરજી, આઇસીડીએસ બાળકોના આધાર કાર્ડ ૧૩,  આવક દાખલો ૧૨, રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની કામગીરી ૧૦, રાશન કાર્ડમાં નમી કરવું ૦૪, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ૦૧-૦૧, સામાજિક વનીકરણ ૧૦ અને કાનૂની સેવા ૫૦ સહિત ૨,૧૯૬ અરજી બાબતે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં બગસરા પ્રાંત અધિકારીશ્રી, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

Follow Me:

Related Posts