અમરેલી

જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે પદયાત્રા :  શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સહિતના જોડાયા

ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરુ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી હાથ શરુ  છે. ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરુપે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે પદયાત્રા યોજાઈ હતી.  શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સહિતના આ પદયાત્રામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, પદયાત્રાના માધ્યમથી શાળા પ્રવેશોત્સવ, સંકલિત બાળ વિકાસ યોજના, નિપુણ ભારત સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લઈ જનજાગૃત્તિ અભિયાન છેવાડાના લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની ‘વણથંભી વિકાસયાત્રા’ વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭  થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Related Posts