શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના નિકાલમાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર, અત્યાર સુધી ૨૧૦ લાખ ટન કચરાનો નિકાલ સ્વચ્છ ભારત મિશન ફેઝ-૨ઃ શહેરોમાં કચરાથી ઘેરાયેલી ૬૯૮ એકર જગ્યા ખુલ્લી થઇ, ૧૪૦ ડમ્પસાઇટમાંથી ૯૫ ટકા કચરાનો નિકાલ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ? ૩૦૦ કરોડ કિંમતની જમીન ખુલ્લી થઇ, નગરપાલિકા વિસ્તારની સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે“વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ મહાત્મા ગાંધીનું ‘સ્વચ્છ ભારત’નું સપનું સાકાર થઇ રહ્યું છે
”ઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ભારતના શહેરો કચરાના ઢગલાથી સંપૂર્ણ મુક્ત બને તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૧૪થી સ્વચ્છ ભારત મિશન અર્બન દેશભરમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧માં સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર તરફથી ? ૧,૪૧,૬૦૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનનો બીજાે તબક્કો વર્ષ ૨૦૨૫ સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે, શહેરોમાંથી કચરાનિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર્ફોમર રાજ્ય બન્યું છે. ગુજરાતના શહેરોમાં ડમ્પસાઇટમાંથી ૯૫ ટકા (૨૧૦ લાખ ટન) કચરાનો નિકાલ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ના આંકડા પ્રમાણે, ગુજરાતની ૧૪૦ ડમ્પસાઇટમાં પડેલા ૨૨૧ લાખ ટન કચરામાંથી અત્યાર સુધીમાં ૨૧૦ લાખ ટન લેગેસી વેસ્ટનો (વર્ષોથી પડેલો કચરો) નિકાલ કરવામાં આવ્યો છે.
૯૫ ટકા કચરાના નિકાલ બાદ હવે માત્ર ૫ ટકા કચરાનો નિકાલ જ શેષ રહ્યો છે. કચરાના જથ્થાના નિકાલ બાબતે ગુજરાત સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ટોપ પર છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ફેઝ-૨ અંતર્ગત ૧૦૦૦ ટન કે તેનાથી વધુ જથ્થાનો કચરો ધરાવતી કુલ ૨૪૨૬ ડમ્પસાઇટની દેશમાં ઓળખ કરવામાં આવી છે. ૭૫ ટકા એરિયા સાફ, ૬૯૮ એકર જગ્યા ખુલ્લી થઇ, ૫૦૦ એકર અને તેનાથી વધુ વિસ્તારની ડમ્પસાઇટ ધરાવતા રાજ્યોમાં પણ સાઇટનો વિસ્તાર ખુલ્લો કરીને ફરી ઉપયોગ કરવા માટે પરત મેળવવા બાબતે ગુજરાત દેશમાં પ્રથમ છે. ગુજરાતમાં ડમ્પસાઇટના ૯૩૦ એકર વિસ્તારમાંથી ૬૯૮ એકર વિસ્તારને ખુલ્લો કરવામાં આવ્યો છે
જેના લીધે ૭૫ ટકા જગ્યા ફરી ઉપયોગ માટે પ્રાપ્ત થઇ ગઇ છે. રાજ્યમાં સૌથી મોટી બે ડમ્પસાઇટ (પિરાણા અને બોપલ) અમદાવાદમાં છે, જેમાંથી ૧૨૯ લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ડમ્પસાઇટના કુલ ૯૦ એકર વિસ્તારમાંથી ૪૬ એકર જગ્યાને ખુલ્લી કરી દેવામાં આવી છે. ભારતમાં કચરાથી ઘેરાયેલો સૌથી વધુ વિસ્તાર મહારાષ્ટ્રમાં (૩,૩૫૨ એકર) છે, જ્યારે સૌથી ઓછો વિસ્તાર અંદમાન અને નિકોબાર ટાપુ અને મિઝોરમ (૩ એકર) છે. રાજધાની દિલ્હીમાં ૨૦૨ એકર ડમ્પસાઇટ વિસ્તાર છે, જેમાંથી હજુ કોઈ પણ વિસ્તાર ખુલ્લો થયો નથી. વિસ્તારમાં ? ૨૦૧.૨ કરોડ જ્યારે ૧૫૭ નગરપાલિકા વિસ્તારમાં ?૧૦૯.૬ કરોડ જેટલું મૂલ્ય ધરાવતી જમીન ખુલ્લી થઇ છે.
આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારની ખુલ્લી થયેલી સાઇટ પર ઘન કચરાના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ બનાવવામાં આવશે જે માર્ચ ૨૦૨૫ સુધીમાં કાર્યરત થઇ જશે. ગુજરાતની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ જે સ્વચ્છ ભારતનું સપનું જાેયું હતું તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ઇમાનદાર પ્રયાસોના લીધે સાકાર થઇ રહ્યું છે. સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર છે. અમારી સરકાર સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે પહેલાથી પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો નાગરિકોને જાેવા મળશે.
Recent Comments