ડેસર તાલુકાના પ્રતાપપુરા ખાખરીયા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે પોપટ જશવંતસિંહ પરમાર તેમની પત્ની વર્ષાબેન અને બે નાની દીકરીઓ રીન્કુ અને શીતલ સાથે રહીને ડમ્પર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના જ ખાખરીયા ફળિયામાં રહેતા ગણપત ઉર્ફે ગણો મગનભાઈ પરમારની પત્ની સંગીતા સાથે મહેશ પરમારને પ્રેમ સંબંધ બંધાયો હતો.બેસતા વર્ષની મધ્યરાત્રી દરમિયાન પ્રેમી મહેશ ઉર્ફે પોપટ સંગીતાને મળવા માટે આવ્યો હતો.મધ્ય રાત્રી દરમિયાન ખાખરીયા ફળિયામાં રહેતા રમેશભાઈ જેણાભાઈ ચૌહાણના ઘરના દરવાજા સામે રસ્તા ઉપર ગણપત પરમાર અને તેના બે દીકરાએ મહેશ ઉર્ફે પોપટ પરમાર ઉપર ઉપરા છાપરી માથામાં ડંડાના ફટકા મારી લોહી લુહાણ કરી દીધો હતો.તે બાદ જાણે કંઈ થયું જ નથી. તેમ ઘરે જતા રહ્યા હતા.તે સમયે જેના ઘરની પાસે હત્યા થઈ હતી.
તે રમેશભાઈની પત્નીએ બુમાબૂમ કરતા ફડીયાના લોકો ભેગા થઈ ગયા હતા.બીજી તરફ ગણપત પરમારની પત્ની સંગીતા પણ પતિનો આસમાને ચઢેલો ગુસ્સો પારખી જતા પોતાને પણ જીવતી નહીં મૂકે તેવા ડરના કારણે રાત્રે અંધારામાં ઘર છોડી ભાગી છૂટી હતી. પ્રતાપપુરાના ગ્રામજને નજીકના રાજપુર ગામમાં રહેતા મહેશ ઉર્ફે પોપટ પરમારના ફોઈ સુમિત્રા બેન અને ફુવા કરણસિંહ ચૌહાણને ફોન કરી જાણ કરતા ફોઈ સુમિત્રા બેન અને તેઓનો દીકરો બાઈક લઈ પ્રતાપપુરાના ખાખરીયા ફળિયામાં વહેલી સવારે ૪ વાગ્યે આવી પહોંચ્યા હતા.
પોતાનો ભત્રીજાે મહેશ પરમાર રસ્તા ઉપર લોહી લુહાણ અવસ્થામાં પડયો હતો. માથા અને મોઢામાંથી સતત લોહી નીકળતું હતું.તે દરમિયાન તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરી ડેસર સરકારી હોસ્પિટલે લઈ જવાયો હતો ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મહેશ પરમારને મૃત જાહેર કર્યો હતો ડેસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફરજ ઉપરના પી.આઈ ઘટના સ્થળે જઈ સુમિત્રાબેન ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી મહેશના મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.ઔ પોલીસે ગણતરીના કલાકોમાં ૩ હત્યારા પિતા પુત્રોને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી .હત્યા કરનાર ગણપત પરમાર સહિત બંને દીકરાઓને પોલીસે અટકાયત કરી હતી.પત્ની સંગીતા ઘર છોડીને ભાગી ગઈ હવે માત્ર તેઓનું ખુલ્લુ મકાન ખાખરીયા ફળિયામાં જાેવા મળી રહ્યું છે.
Recent Comments