fbpx
ગુજરાત

વસંત પંચમી વિદ્યા-જ્ઞાન-કલાની પ્રાપ્તિ અર્થે માં સરસ્વતી ના પ્રાગ્ટય દીને પૂજન અર્ચન

અમદાવાદ  વસંત પંચમી વિદ્યા-જ્ઞાન-કલાની પ્રાપ્તિ અર્થે માં સરસ્વતીના પ્રાગ્ટયનો ઉત્તમ દિવસ ગણાય છે   આ પવિત્ર દિવસે ધોરણ ૧૦/૧૨ માં તથા અન્ય ધોરણમાં પણ અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓને પ્રરેણા-માર્ગ દર્શન આશીર્વાદ હેતુ નારણપુરા જુનાગામ ખાતે સૌજનભાઈ પટેલના ત્યાં  માંસરસ્વતી પૂજન અર્ચન-વિદ્યારંભ સંસ્કાર -કલમ-પેેનનું પૂજન  તથા  ગાયત્રીયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગોઠવવામાં આવેલ જેમાં ગણેશ,સરસ્વતી,ગાયત્રીમંત્ર-મહામૃત્યુંજ્યના વૈદિક મંત્રોચ્ચાર સાથે  આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરવામાં આવી હતી તથા પ્રયાગરાજ મહાકુંભમેળામાં દિવગંત આત્માઓની શાંતિ માટે આહુતિઓ સમર્પિત કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts