સાવરકુંડલા એકલિંગજી ઉપવન ખાતે સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા.

પાર્થિવ શિવલિંગ ની પૂજાથી જીવન ધન્ય બંને છે.- પૂજ્ય ભોલાનંદ સરસ્વતીજી.સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ કાનજીબાપુની જગ્યા પાસે આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહલીન પૂજ્ય સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂજય સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું સાવરકુંડલા ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામો માંથી વિશાળ સંખ્યામાં સત્સંગીઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પૂજય ભોલાનંદ સરસ્વતીજી મહારાજે પ્રવચન આપતા કહ્યું હતુંકે પાર્થિવ શિવલિંગ મહાપૂજાની થી માનવજીવન ધન્ય બનેછે ભગવાન આશુતોષ શિવજીની ભકિતમાં પવિત્રતા અને નિષ્કામ ભાવએ મૂક્તિ નો માર્ગછે ૐ નમઃ શિવાય ની ધૂન દ્વારા ભકિતમય વાતાવરણ સર્જાયું હતું આતકે તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ વાઘાણી, નિવૃત નાયબ મામલતદાર એમ.એમ.પરમાર, આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી, એડવોકેટ નોટરી કિરણબેન કાચા વગેરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments