રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ની વડાપ્રધાન મોદી સાથે બેઠક

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ તેમની પહેલી બેઠક છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક હાલમાં થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદ સર્જાયેલી સુરક્ષા સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે.

આ બેઠક પહેલા નેશનલ કોન્ફરન્સ (NC)જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા વડાપ્રધાન સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારના કોઈપણ નિર્ણયમાં જમ્મુ કાશ્મીર તંત્ર તરફથી પૂર્ણ સહયોગનો ભરોસો આપશે, ખાસ કરીને પહલગામ હુમલાનો બદલો લેવા અને દેશની સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા પડકારો વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કડકાઈથી પગલા ભરવાના સંકેત આપી ચૂકી છે.

Related Posts