અમરેલી તેમજ ગુજરતમાં પડેલ કમોસમી વરસાદના લીધે કેરી, ડુંગળી અને તલ ઉત્પાદિત કરતા ખેડૂતોને ખુજ નુકશાન જવા પામ્યું છે ત્યારે અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ખેડતો માટે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત કરી છે.
પૂર્વ સાંસદે તેમની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં અમરેલી ક્ષેત્ર અને ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કેરી, ડુંગળી અને તલ જેવા પાકને ખુબ જ નુકસાન થયું છે. કમોસમી વરસાદના લીધે ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
પૂર્વ સાંસદે વધુ ઉમેરતા જણાવ્યું હતું કે તેઓએ આગાઉ તા. ૧૯-૦૪-૨૦૨૫ ના રોજ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને ડુંગળી માટે MSP કિંમત નક્કી કરવા અંગે પત્ર પાઠવ્યો હતો. જેના ઉપર સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ ખેડૂતોને બજારમાં ડુંગળીનો પૂરો ભાવ મળી રહ્યો ન હોવાને લીધે ખેડૂતો બજારમાં સમયસર ડુંગળી વેચી શક્યા ન હતા. ઉપરાંત MSP મળવાની આશામાં ખેડૂતોએ ડુંગળીની લણણી કરી, તેને ખેતરોમાં ખુલ્લામાં સંગ્રહિત કરી હતી. આ ઉપરાંત ઘણા ખેડૂતો ડુંગળી વેચવા માટે સ્થાનિક APMC પણ પહોંચ્યા હતા. પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ડુંગળી પણ પલળી જવાને લીધે આ બધા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
તેથી, ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કમોસમી વરસાદના લીધે કેરી, ડુંગળી અને તલના પાકોને થયેલ નુકશાન સંદર્ભે તાત્કાલિક જે તે વિસ્તારનો સર્વે કરાવી, જેમ બને તેમ ઝડપથી ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પત્ર પાઠવી રજૂઆત કરેલ હોવાનું તેમની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments