અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તા. ૬ અને ૭ મે, ૨૦૨૫ ના રોજ કમોસમી
વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફતના કારણે
કેરી, લીંબુ અને અન્ય બાગાયતી પાકો તેમજ ડુંગળી, તલ, બાજરી અને મગ જેવા ઉનાળુ
પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
સાવરકુંડલા તાલુકાના ખેડૂતો દ્વારા આ અંગે અનેક રજૂઆતો મળી છે અને પરિસ્થિતિની
ગંભીરતાને ધ્યાનમાં લેતા, અમે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવીને
ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા વિનંતી કરીએ છીએ. તૈયાર પાકનો સંપૂર્ણ નાશ થવાથી
ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ખેડૂતોના હિતમાં સત્વરે નિર્ણય લઈ, સર્વેની કામગીરી શરૂ કરાવી અને યોગ્ય વળતર
ચૂકવીને જગતના તાતને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદ કરવા ગુજરાત
રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ને તાલુકા પ્રમુખ જીતુભાઈ કાછડિયા એ રજૂઆત
કરી છે
Recent Comments