ભાવનગર

તાજેતરમાં જાહેર થયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરીણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોરમાં અભ્યાસ કરીને ચુડી ગામની ખેડુતની દીકરી વિધિબાએ મેળવ્યા 98.43 પર્સન્ટાઇલ

  તળાજા તાલુકાની શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોરમાં અભ્યાસ કરતાં રાયજાદા વિધિબા સુરેન્દ્રસિંહે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 98.43 PR. મેળવી અનેરી સિધ્ધી મેળવી છે. વિધિબાના પિતા ચુડી ગામમાં ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના માતા-પિતાનું સ્વપ્ન છે કે દીકરી ક્લાસ વન બનીને સમાજની સેવા કરે. માતા-પિતાના આ સ્વપ્નના ભાગરૂપે વિધિબાએ ધોરણ 12 માં સારું પરિણામ મેળવ્યું છે. હવે તે આગળ સ્નાતકનો અભ્યાસ કરવા માંગે છે. વિધિબાએ જણાવ્યુ હતું કે માતા-પિતાની વિશેષ કાળજી, ઘર અને શાળાનું સારું વાતાવરણ, નિયમિત ચાર થી પાંચ કલાકનું વાંચન તથા શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન છે. શાળામાં લેવામાં આવતી દૈનિક ટેસ્ટ  અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં બોર્ડ પેપર આધારિત રાઉન્ડ પેપર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-દિહોર શાળા પરિવાર દ્વારા વિધિબાના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા તેમના માતા-પિતાનું સ્વપ્ન પૂર્ણ થાય તેવા હાર્દિક શુભકામના પાઠવેલ.

Related Posts