અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૨મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ, સ્નાતક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૨૨ મે, ૨૦૨૫ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે નૂતન હાઈસ્કૂલ, ચિતલ રોડ, અમરેલી ખાતે કરવામાં આવશે.

આ ભરતી મેળા માટે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts