ભાવનગર શહેરના કુંભારવાડા સહિતના પછાત વિસ્તારમાં દિવાળી તહેવાર નિમિત્તે કથાકાર વક્તાશ્રી રામકૃષ્ણ શાસ્ત્રી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. અહીંના બાલ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી બાળકોને નાસ્તાના બોક્સ, મોહનથાળ, ફરસાણ વગેરે બાળકોની ખુશી માટે ફાળવવામાં આવ્યા હતા. આ વેળાએ શિક્ષિકા ગીતાબેન પરમાર,રમેશભાઈ સોની,ગિરધર પડાયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
કુંભારવાડાના બાળસંસ્કાર કેન્દ્રમાં બાળકોને દિવાળીની મીઠાઈ અર્પણ કરતાં રામકૃષ્ણ શાસ્ત્રી

Recent Comments