બાબરામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાઈ જતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતો સહકાર આપવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરવામાં આવી રહ્યું છે. બાબરામાં બપોરે ૨ થી ૫ અહીં દરેડ રોડ પર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓની હાજરીમાં અહીં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન યોજાયું હતું. જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ ખેડૂતોની વેદના રજૂ કરી એકી અવાજે રાજ્ય સરકાર દેવા માફી કરે તેવી માંગ કરી રેલી સ્વરુપે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
બાબરામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન કરી દેવા માફીની માંગ કરી


















Recent Comments