અમરેલી

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા દામનગર પટેલવાડી ખાતે રામનવમી ના પાવન પર્વ એ વિનામૂલ્યે છાસ કેન્દ્ર નો પ્રારંભ

દામનગર શહેર માં જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા પટેલ વાડી ખાતે રામનવમી ના પાવન પર્વ એ વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ થશે વિના મૂલ્યે છાસ મેળવવા ઇચ્ચુંક લાભાર્થી ઓએ છાસ વિતરણ કાર્ડ મેળવવા માટે ઘનશ્યામનગર ગોરધનભાઇ આસોદરિયા ની દુકાન પટેલવાડી સહિત ની જગ્યા એથી તા.૨૦/૦૩/૨૬ થી છાસ માટે કાર્ડ કાઢી આપવાનો પ્રારંભ થશે  ઉનાળા નું અમૃત ગણાતી છાસ વિના મૂલ્યે દૈનિક સવાર માં ૬-૦૦ થી ૭-૦૦ દરમ્યાન નિયમિત રીતે  પટેલ વાડી ખાતે થશે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગર દ્વારા પટેલવાડી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મોત્સવ ના પાવન દીને પ્રારંભ થશે છાસ વિતરણ કેન્દ્ર ની પટેલ વાડી ખાતે આયોજન અંગે આજે તા.૧૫/૦૩/૨૬ સાંજે ૬-૦૦ કલાકે મીટીંગ યોજાય હતી જેમાં સમગ્ર શહેર માંથી દરેક સામાજિક અગ્રણી ઓ સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી 

Related Posts