ભાવનગર

ભાવનગર જિલ્લાના નાણાં ધિરધારકોના લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ હોઈ તેવા ધિરધાર શાહુકારોને લાયસન્સ રિન્યૂ કરવા તાકીદ

ભાવનગર જિલ્લાનાં તમામ નાણાં ધિરધારકો કે જે ગુજરાત નાણા ધિરધાર કરનારા અધિનિયમ-૨૦૧૧ અને
નિયમો-૨૦૧૩ અન્વયે નાણા ધિરધાર કરવા માટેનો પરવાનો ધરાવે છે અને પરવાનો રીન્યુ ન કરાવતા તમામ
શાહુકારોને જણાવવાનું કે ગુજરાત નાણાં ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૯ ની જોગવાઈ
મુજબ રજિસ્ટ્રેશન તાજુ કરવાની અરજી નિયત સમયમર્યાદામાં E-Cooperative (https://ecooperative.gujarat.gov.in)
પર નિયત આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. આ બાબતે સદર નોટિસ મળ્યા તારીખથી દિન-૧૦ માં
લેખિત/મૌખિક ખુલાસો અત્રેની કચેરીમાં રજુ કરવા. નિયત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર
કરનાર આ બાબતે કઇ રજુઆત કરવા માંગતા નથી. તેમ માની અને રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે તો
તેઓની વિરુધ્ધ એક તરફી સદર હું રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી ગુજરાત નાણાંની ધિરધાર કરનારા
અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ જોગવાઈ મુજબ હાથ ધરવામાં આવશે તેમ શ્રી એ. ડી. દેસાઇ શાહુકારોના
નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts