ભાવનગર

બગદાણા : ગુરુ આશ્રમ ખાતે બજરંગદાસબાપાના મંદિરમાં કેસર કેરીનો દિવ્ય શણગાર 

બગદાણા ખાતેના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ ખાતે  કેસર કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજ્ય બાપાના ગાદી મંદિર ખાતે ખાસ રીતે શણગારવામાં આવેલા આ કેરીના શણગારના દિવ્ય દર્શનનો લાભ આજે સૌ દર્શનાર્થી યાત્રાળુએ લીધો હતો.

આજે બપોરના રવિવારે રાજભોગ આરતી બાદ આશરે આ 4000 કિલોગ્રામ કેસર કેરીના રસનો પ્રસાદ ગુરુઆશ્રમ ખાતેના રસોડામાં પ્રસાદ તરીકે સૌ યાત્રાળુ ભક્તજનોને પીરસવામાં આવનાર છે.

Related Posts