ન્યાયની આ દેવડી પર દીપ આશાનો જલ્યો,
જે હક હતો સ્વજનનો, તે આજે આખરે મળ્યો.
લડ્યા જે આખરી દમ સુધી કાયદાના સાથમાં,
વળતર રૂપી ન્યાયનો સૂરજ
હથેળીમાં ઢળ્યો.
–“પાંધી સર”
સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની ભાર્ગવભાઈ વાવડીયાનું ગત તા. ૦૬/૦૫/૨૦૨૪ ના રોજ ભોરીંગડા ગામ પાસે બોલેરો (નંબર GJ-35-T-0747) સાથે થયેલા અકસ્માતમાં કરુણ અવસાન થયું હતું. આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, ગુજરનારના વારસદારો અને માતા-પિતા વતી સાવરકુંડલાના યુવા એડવોકેટ એમ.એમ. બાવનકાએ વળતર મેળવવા માટે સાવરકુંડલા મોટર એકસિડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલમાં એમ.એ.સી.પી. નંબર ૧૭/૨૦૨૪ થી દાવો દાખલ કર્યો હતો.
એડવોકેટ એમ.એમ. બાવનકાએ ગુજરનાર ભાર્ગવભાઈ ઇન્કમટેક્સ ભરતા હોવાના પુરાવાઓ અને નામદાર કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને અસરકારક દલીલો રજૂ કરી હતી. આ કેસની ગંભીરતા અને રજૂઆતોને ધ્યાને રાખીને, તા. ૨૧/૦૪/૨૦૨૬ ના રોજ ટ્રીબ્યુનલના જજ શ્રી સચિન એસ. શેઠી સાહેબે મહત્વનો ચુકાદો આપ્યો હતો.
અદાલતે ગુજરનારના વારસદારોને ₹૮૦,૧૫,૦૦૦/- ની મુખ્ય રકમ અને તેના પર ૯% વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે. વ્યાજ સાથે આ રકમ અંદાજે ₹૯૪,૦૦,૦૦૦/- (ચોરાણું લાખ રૂપિયા) જેવી થવા જાય છે. આ ઐતિહાસિક વળતર મંજૂર કરાવવા બદલ એડવોકેટ એમ.એમ. બાવનકા પર કાયદા જગતના મિત્રો અને સ્નેહીઓ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fd21zaHdrZXdqdG9nogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1777125011605


















Recent Comments