અમરેલી

સાવરકુંડલાનું ગૌરવ : “માનવતાની મહેક કબીર ટેકરી” પુસ્તકના સહ-લેખિકા યુવા શિક્ષિકા દિપાલીબેન ડી.પંડ્યા નું ભવ્ય સન્માન

સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે પ. પૂ. સદગુરુ તપસ્વી રામપ્રતાપ સાહેબની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ પુસ્તક વિમોચન કાર્યક્રમના સમારંભમાં સાહિત્ય જગતના એક યાદગાર પ્રસંગે *”માનવતાની મહેક – કબીર ટેકરી”* પુસ્તકનું ભવ્ય વિમોચન યોજાયું હતું. આ પ્રસંગ સાવરકુંડલા માટે ગૌરવની ક્ષણ બની રહ્યો.

આ પુસ્તકમાં *બ્રહ્મલીન મહંત શ્રી ૧૦૦૮ શ્રી રામપ્રતાપ સાહેબની દિવ્ય જીવનકથા “બાતે તિમિર ન ભાજય, દીવા, બત્તી, તેલ”* શીર્ષક હેઠળ અત્યંત સંશોધનાત્મક અને હૃદયસ્પર્શી રીતે આલેખન કરનાર *સાવરકુંડલાના યુવા શિક્ષિકા અને લેખિકા શ્રી દિપાલીબેન ડી. પંડ્યા* નું આ પ્રસંગે એક લેખિકા તરીકે અને *સાવરકુંડલા ગામના ગૌરવ તરીકે વિશેષ સન્માન* કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય સમારોહમાં *કબીર ટેકરી, સાવરકુંડલાના પરમ પૂજ્ય મહંત શ્રી નારણદાસ સાહેબ* ના પવિત્ર સાનિધ્યમાં તથા ઉપસ્થિત સાહિત્યકારો અને અગ્રણીઓ શ્રી વાસુદેવભાઈ સોઢા, ગોરધનભાઈ ભેસાણીયા, સુધીરભાઈ મહેતા, ઉદયભાઈ દેસાઈ, રવજીભાઈ કાચા, નાનાભાઈ ત્રિવેદી,  અશોકભાઈ શેટે,  મનિષભાઈ વિંઝુડા, જિજ્ઞાબેન ઠકરાર, ઉમેશભાઈ ચાવડા, યશ ત્રિવેદી – વિજ્ઞાન ભવન , અરવિંદભાઈ સુરતી,  સંગીતાબેન ઓઝા, ધનજીભાઈ મકવાણા, કનુભાઈ લિંબાસિયા સહિત અનેક મહાનુભાવોના ઉપસ્થિમા નારાયણદાસ સાહેબના વરદ હસ્તે દિપાલીબેનનું *સાલ ઓઢાડી, સન્માનપત્ર અને પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સન્માન* કરવામાં આવ્યું હતું.

આ સન્માનનો પ્રતિભાવ આપતા દિપાલીબેન ડી. પંડ્યા એ જણાવ્યું હતું કે, “બ્રહ્મલીન મહંત શ્રી રામપ્રતાપ સાહેબની જીવનકથા લખવી એ મારા માટે માત્ર લેખન નહોતું, પણ એક સાધના હતી. *આ સન્માન મારું એકલીનું નહીં, પરંતુ મારા ગુરુજનો અને મારા વતન સાવરકુંડલાનું સન્માન છે.”*

આ પ્રસંગે સમગ્ર સભાએ તાળીઓના ગડગડાટ સાથે દિપાલીબેનને વધાવી લીધા હતા અને સાવરકુંડલાના ગૌરવ સમાન આ *યુવા લેખિકાને ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ સાહિત્ય સર્જન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.*

Related Posts