ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની તા.૨૦/૭/૨૨ ના રોજ ૨૧૯૧ મી બેઠક યોજાઈ. સંચાલન નેહાબેન પુરોહિતનું રહ્યું, “કવિ વક્તવ્ય “ઉપક્રમ અંતર્ગત શ્રી સૃષ્ટિબેન ખમળ દ્વારા કવિશ્રી કૃષ્ણ દવેની રચનાઓના શેર નો રસાસ્વાદ થયો. સૌ કવિઓ દ્વારા સ્વ કૃતિઓનું પઠન થયું. શ્રી નટુભાઈ પંડ્યા, શ્રી હિમલ ભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ સરવૈયા, શ્રી ભરત વાળા, શ્રી સુનિલભાઈ પરમાર, શ્રી કૃપાબેન ઓઝા, શ્રી ઉદય મારું, શ્રી સપનકુરૈશી, શ્રી જયેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી વિપુલભાઈ કોરડીયા, શ્રી અક્ષર જાની, શ્રી હિમાંસી પરમાર, શ્રી સ્વાતિ સાગ શ્રી અંજનાબેન ગૌસ્વામી, સૌ કવિ મહાનુભાવો ની સ્વરચનાઓની પઠન પ્રસ્તુતિ સહિત કવિઓની વિશેષ ઉપસ્થિતમાં બુધસભા રસ પ્રચુર રહી હતી.
ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૧૯૧ મી બેઠક યોજાઈ.

















Recent Comments