ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ અધિકારી ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી દ્વારા ચેરમેન રમેશ ભગતને મારમારી બહાર કાઢવામાં આવ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ચેરમેનનો આક્ષેપ છે કે, ૬ ડિસેમ્બરના રોજ રાત્રે ૮ વાગ્યે ડીવાયએસપી નકુમે વડતાલના નૌતમ સ્વામીના કહેવા મુજબ અયોગ્ય વર્તન કર્યું. ત્યારે આ મામલે ભાવનગર આઈજી ઓફીસમાં ચેરમેન રમેશ ભગત દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલાના સીસીટીવી સામે આવતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
ગઢડા સત્તાના વિવાદઃ ડીવાયએસપી દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

Recent Comments