ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું
ખેડુતોના વિરોધનો પડઘો હવે ફક્ત રસ્તા પર જ નહીં, સોશિયલ મીડિયા પર પણ પડી રહ્યો છે. જ્યારે હોલીવુડના સેલેબ્સે ખેડૂતોના હક માટે પોતાનો અવાજ ઉઠાવ્યો ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બોલિવૂડ પણ આ મામલે બે મોરચે લડતા જાેવા મળે છે. હોલીવુડ સેલેબ્સે રીહાન્ના, મિયા ખલિફાના ટિ્વટ બાદ અક્ષય કુમાર, લતા મંગેશકર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ, કંગના રનૌત સહિતના ઘણા સેલેબ્સના ટ્વીટ્સે દેશની એકતા જાળવી રાખી હતી અને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનારાઓથી બચીને રહેવા કહ્યું હતું. પરંતુ બોલિવૂડના ત્રણ ખાન આ મામલે અત્યાર સુધી મૌન રહ્યા હતા,
હવે બોલિવૂડના ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાને આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. બોલીવુડ સ્ટાર સલમાન ખાનને મુંબઈમાં મ્યુઝિક શોના લોકાર્પણ દરમિયાન ખેડુતોના વિરોધ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બોલીવુડ સ્ટારે આ સવાલનો જવાબ ખૂબ જ સંતુલિત રીતે આપ્યો. તેણે કહ્યું કે યોગ્ય કામ કરવું જાેઈએ. સાચી વસ્તુ કરવી જાેઈએ અને સૌથી ઉમદા કામ કરવું જાેઈએ.
જ્યારે શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાંત કપૂરે, ખેડૂતોના આ પ્રખ્યાત આંદોલન અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવો જાેઇએ. બંનેએ આશા વ્યક્ત કરી કે આ મુદ્દાને વહેલી તકે કોઈ નિરાકરણ મળી જશે. ગાયકો મીકા અને શાને ખેડૂતોને તેમના દાતા તરીકે ઓળખાવતા કહ્યું હતું કે આ મુદ્દાને વાતચીત દ્વારા અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જાેઈએ. તેમણે કહ્યું કે આ મુદ્દાનો નિરાકરણ વાતચીતમાંથી બહાર આવશે અને જેટલું જલદી થાય એટલું વહેલા તેનો ઉકેલ લાવવો જાેઇએ.
Recent Comments