કણકોટ ગામથી રાજકોટ જવાના નજીકના રસ્તાનો ઉપયોગ કર્યા બાદ ઈકો કારનો ડ્રાઈવર ફૂલ સ્પીડમાં હતો અને તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં ડ્રાઈવર કારમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો જ્યારે રતિભાઈ અને તેમનો દીકરો દિનેશભાઈ પણ કારમાં આગળ બેઠા હોવાથી તેઓ બહાર નીકળી ગયા હતા. જાેકે, પાછળનો દરવાજાે ખુલ્યો ના હોવાથી કારમાં વધારે પાણી ભરાતું જતું હતું, આવામાં બે મહિલા અને બે બાળકોના ડૂબી જવાથી મોત થઈ ગયા હોવાનું મનાય છે. આ ઘટનામાં ડ્રાઈવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો અને તેને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ડ્રાઈવરે પોતાનો જીવ બચી ગયા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે રતિભાઈ પ્રજાપતિએ બેજવબદારીભર્યું ડ્રાઈવિંગ કરીને અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. વાંકાનેરમાં બનેલા અકસ્માતમાં દિવાળીમાં સૌરાષ્ટ્ર ફરવા માટે ગયેલા અમદાવાદના એક જ પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતે ઈકો કાર કૂવામાં પડતા કારમાં સવાર સાતમાંથી ચાર લોકોના મોત થઈ ગયા છે. જેમાં બે મહિલા અને બે બાળકોનો સામાવેશ થાય છે. આ અકસ્માતમાં પરિવારના મોભી તથા તેમના દીકરાનો જીવ બચી ગયો છે. ગઈકાલે બનેલી આ કમકમાટીભરી ઘટનાની પોલીસે તપાસ શરુ કરી છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલના રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (૬૯) તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા ફરવા માટે ગયા હતા. આ દરમિયાન ગઈકાલે કણકોટ ગામ પાસે ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અમદાવાદ પાર્સિંગની ય્ત્ન ૦૧ ૐઢ ૧૪૫૩ નંબરની કાર કૂવામાં જઈને પડી હતી. ઘરના મોભી રતિભાઈ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ તથા ડ્રાઈવર કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે કારમાં પાછળના ભાગે બેઠેલા રતિભાઈના પત્ની મંજુલાબેન રતિભાઈ પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (૪૩) અને બા બાળકો આદિત્ય (૧૬) અને ઓમ (૭)નું મોત થઈ ગયું હતું.
તહેવારમાં ફરવા જતા એક જ પરિવારના ૪ના મોત:કાર કૂવામાં પડી

Recent Comments