સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ગરીબ માણસો માટે મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવસ યોજના જાહેર કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો પ્રચાર મીડિયા અને પેપરમાં કરવામાં આવી હતી કે જે વ્યક્તિને કાચું મકાન હશે તેમને 2022 સુધીમાં મકાન માટે 1,50,000 આપવામાં આવશે અને તેનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના નામ આપવામાં આવ્યું જેનો સર્વે 2011 ની વસ્તી પ્રમાણે કરવામાં આવ્યો હતો જેના નામ જે સર્વેમાં આવ્યા તેમના નિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ઠરાવ કરવાના અને તે અરજદારે પોતાના ર્ડાયમેન્ટ અને 50ના સ્ટેમ્પ પર નોટરી કરી તાલુકા સાવરકુંડલા 600 જેટલી અરજી આપેલી અને લીલીયા તાલુકામાં 510 અરજી આપેલી તેમ છતાં આજે તાલુકાના અધિકારીઓ દ્વારા વિધાનસભામાં બે વર્ષમાં આવેલી અરજી સાવરકુંડલા તાલુકામાં ૪૨ અને લીલીયા તાલુકામાં ૫૯ કુલ ૧૦૧ બન્ને તાલુકામાં અરજી આવેલી તેની બતાવામાં આવ્યું જેથી આ માહિતી ધારાસભ્ય ને ખોટી લાગતા ધારાસભ્ય સ્પીકર ને આ બાબતે ફરિયાદ કરી કે આ માહિતી ખોટી છે જેથી ધારાસભ્ય દ્વારા પુરાવા સહીત 1110 રજીનના નામની માહિતી આપી જેથી 1110 અરજીની સામે છેલ્લા બે વર્ષમાં ફક્ત ૪ મકાન બન્યા સરકાર કરોડો રૂપિયાના ગરીબ કલ્યાણ મેળા કરે અને ગરીબ માણસો ના મકાન વંચિત લોકોને સહાય અપાવી શક્તિ નથી આ યોજના ફક્ત નામ માટે જ છે આ યોજનામાં કોઈ પણ ગરીબ માણસને લાભ મળતો નથી તેવો આક્ષેપ સરકારને વિધાનસભામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે કર્યો. સરકાર 2011 ના સર્વેમાં જેના નામ છે તેના મકાન હજી 2022 સુધીમાં આપી શક્યા નથી આ સરકાર કરોડો રૂપિયા જાહેરાતમાં આપે છે યોજનામાં પણ હકીકતમાં લોકોને મકાન બનાવવા માટે લાભ મળતો નથી અને હાલમાં વાવાઝોડોમા હજારો લોકોના મકાન પડી રહ્યા ગયા છે પણ તેમને આ યોજનામાં સરકાર લાભ અપાવી શકતા નથી આ એક સરકાર ની ખૂબ જ ગંભીર કેવાય કે ફક્ત ૪ મકાન મંજુર સરકાર બનાવી શકી.
ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા વિધાનસભાના તારાંકિત પ્રશ્નમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા બે વર્ષમાં ફક્ત ૪ મકાન બન્યા તેવો જવાબ પંચાયત વિકાસ મંત્રીએ લેખિત આપેલ

Recent Comments