ગુજરાત

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન હેઠળ ૧૦૮ ઘરો માં ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

ખેડા ના છીપડી ખાતે ગૃહ ગૃહ ગાયત્રી મહાયજ્ઞ અભિયાન ૧૦૮ ઘેર ગાયત્રી મહાયજ્ઞ તા.૨૪-૪-૨૦૨૨ રવિવારે છીપડી ગાયત્રી શક્તિપીઠ (તા.કઠલાલ,જિ.ખેડા) દ્વારા છીપડીના ગ્રામ્ય વિસ્તારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ,હરિદ્વાર પ્રેરિત ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ અભિયાન અંતર્ગત એક જ સાથે એક જ દિવસે એક જ સમયે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન ૧૦૮ નવીન પરિવારોના ધેર ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વ્યસન મુક્તિ સંકલ્પ ઘણા લોકો લીધો હતો સાથે વિદ્યારંભ જન્મદિવસ સંસ્કાર જેવા ભારતીય સંસ્કારો કરાવ્યા હતા અને ભારતીય સંસ્કારો,ગાયત્રી મંત્રનું જીવનમાં મહત્વની સમજ આપવામાં આવી હતી તેવું જગદીશભાઈ પટેલે જણાવતા વધુમાં જણાવ્યું હતું કે છીપડી ગાયત્રી શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા- સ્થાપના સ્વયં ગાયત્રી પરિવારના સંસ્થાપક યુગ ઋષિશ્રી પ.પૂ.પંડિતશ્રીરામ શર્મા આચાર્યજીના કરકમલો દ્વારા તા.૨૧-૪-૧૯૮૦ ના શુભ દિને ભારતમાં શક્તિ પીઠોની સ્થાપનાની શૃંખલાના ભાગ રૂપે દ્વિતીય શક્તિ પીઠ તરીકે થયેલી છે જેનો ૪૨મો વાર્ષિકોત્સવ તા.૮-૫-૨૦૨૨ રવિવારે યોજાશે જેમાં ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થશે હાલમાં શક્તિ પીઠના   જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે   સુવિદિત થાય કે સુવર્ણ જયંતિ વર્ષ શાંતિ કુંજ હરિદ્વારના વિચાર ક્રાંતિ અભિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુગ પરિવર્તન અને ધરતી ઉપર સ્વર્ગના અવતરણ થકી મનુષ્યમાં સૌને સદબુદ્ધિ,ઉજ્જવળભવિષ્ય, નિરામય જીવનની પ્રાપ્તિ થાઓની પ્રાર્થના તેમજ વ્યક્તિ નિર્માણથી પરિવાર, સમાજ,રાષ્ટ્ર અને વિશ્વના નિર્માણાર્થેના ઉદ્દેશ ઉપલક્ષ્યમાં જન જાગૃતિ પર્યાવરણ શુદ્ધિના કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક ભાગ લીધો હતો જ્યારે યજ્ઞકાર્ય સંચાલન-વ્યવસ્થા  અમદાવાદ,આણંદ,ખેડા જિલ્લામાંથી આવેલા પરિવાર જનોએ સંભાળ્યું હતું 

Related Posts