આગામી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૩ને મંગળવારના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબુદી માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલા ભરવામાં આવે છે. મેલેરિયા રોકથામ માટે લોકોમાં જનજાગૃત્તિ આવે તે જરૂરી છે. મેલેરિયા માદા એનાફિલિસ મચ્છરથી ફેલાતો હોવાથી ઘરની અંદર અને આજુબાજુમાં પાણી ભરાવો ન થાય તે બાબતે તકેદારી રાખવી, પાણીના કુલર,ટાંકી સહિતની નિયમિત સાફ સફાઈ કરવી, તમામ પાણીના સ્ત્રોતો હવાયુક્ત છાંકણથી બંધ રાખવા, કાયમી પાણીથી ભરાઈ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી મુકવી, મચ્છરદાનીમાં સુવાની ટેવ રાખવી,મચ્છર રીપલેન્ટનો ઉપયોગ કરવો વગેરે પગલા મચ્છર ઉત્પત્તિ માટે લેવા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી,અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીમચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સાવચેતીના પગલા લેવા અનુરોધ



















Recent Comments