અમરેલી

જિલ્લાકક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ તા.૨૯ ડિસેમ્બર સુધી પ્રવેશપત્રો મોકલી આપવા અનુરોધ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. પ્રાથમિક શાળામાં ભણતા ૦૭  થી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે બાળ નાટય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/પ્રાથમિક શાળાએ પ્રવેશપત્રનો નિયત નમૂનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પરથી અથવા કચેરીના બ્લોગ પોસ્ટ dydoamreli.blogpost.com પરથી મેળવીને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રુમ નંબર ૧૧૦/૧૧૧, રાજમહેલ કંપાઉન્ડ, જિલ્લા આયોજન કચેરી સામે,અમરેલી પિન ૩૬૫૬૦૧ ને સંપૂર્ણ વિગતો સાથે તા.૨૦/૧૨/૨૦૨૩ સુધીમાં પ્રવેશપત્ર મોકલી આપવા. સમય મર્યાદા વીત્યે આવેલા પ્રવેશપત્રને ધ્યાને લેવામાં આવશે નહિ. સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશપત્ર મોકલનાર સંસ્થાના સંચાલકશ્રીને જાણ કરવામાં આવશે. ભાગ લેનાર ટીમોએ સ્પર્ધા સ્થળે પોતાના ખર્ચે પહોંચવું. આ બાબતે જરુરી વિગતો જાણવા કચેરીનો ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts