અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદીર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સ્વ વિનંતીરાય તન્ના ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણચોદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા એ સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સ્વ વિનંતીરાય ગિરધારભાઈ તન્ના ની પુણ્ય સ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો હતો સદગત વિનંતીરાય તન્ના પરિવાર ના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના ના આર્થિક સહયોગ થી નેત્રયજ્ઞ માં પધારતા દર્દી નારાયણો અને સહાયકો ને અલ્પહાર સેવા પ્રાપ્ત થયેલ  આ સેવા યજ્ઞ માં સંત શ્રી રણછોડાસ બાપુ ટ્રસ્ટ ની રાજકોટ સ્થિત હોસ્પિટલ ની તબીબી સેવા એ આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર કરતી અદ્યતન ટેક્નોસેવી નેટવર્ક ધરાવતી હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મફત મોતીયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ કરી ઓપરેશન આપનાર છે ઉપરાંત મોતીયા ના દર્દી ઓને દવા ટીપાં ચશ્માં  રહેવા જમવા અને અલ્પહાર અને દર્દી ઓને રાજકોટ હોસ્પિટલ લઈ જવા લાવવા સુધી ની સંપૂર્ણ વિના મૂલ્યે સેવા આપનાર છે આ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાતમંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો  આ સેવા યજ્ઞ માં અનેક સ્વંયમ સેવી દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ બી એલ ચાવડા જ્યૂભાઈ જોશી મહેશભાઈ પંડયા રામભાઈ પરમાર લાભુભાઈ નારોલા ધીરભાઈ નારોલા એલ જી  રમેશભાઈ જોશી એ સેવા આપી હતી 

Related Posts