અમરેલી

ગમા પીપળીયા ગામમાં યોજાયેલ રામદેવજી કથા માં વૃક્ષ ઉછેર અને પ્રકૃતિ પર્યાવરણ ની હદયસ્પર્શી અપીલ સાથે કુંડા પક્ષીઘર વિતરણ

બાબરાના ગમા પીપળીયા ગામમાં રામાપીરના મંદિરની પવિત્ર ભૂમિમાં કથાનું આયોજન ગમાપીપળીયા મહિલા મંડળ અને બાબા રામદેવ મંડળ અને ગ્રામ સમસ્ત થયેલ.રામદેવ કથા માં વકતા શ્રી સંજ્યગીરી બાપુ (કાઠમાં વાળા) દ્વારા કથાનું રસપાન કરાવતા હતા કથા દરમિયાન રામદેવ કથામાં રામદેવજી મહારાજના પરચા તેમજ તેમના દ્વારા બનાવેલ ધર્મ ઉપર ખુબજ સરળ ભાષામાં કથાનું રસપાન કરાવતા વકતા ની ભાવાત્મક શેલી થી શ્રોતા બહોળી સંખ્યામાં ઓળઘોળ સંત મહિમાં સનાતન ધર્મ વિશે વિસ્તૃત વાતો માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત વચ્ચે પર્યાવરણ પ્રકૃતિ નો સદેશ કથા દરમિયાન ગમાપીપળીયા રહેવાસી અને પક્ષી પ્રેમી ભાનુભાઈ મોહનભાઈ પાનશેરીયા તેમના પરિવારજનો જનકભાઈ, જગદીશભાઈ વિપુલભાઈ પાનશેરીયા તરફ થી ચકલાઓ તેમજ નાના પક્ષીને પાણી પીવા માટે પાણી ના પરબ ૨૧૬ નંગ પાણીના પરબ નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ અને ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્હાલા ભાવિ ભકતો ઉનાળાના ફુલ ધગધગતા તાપમાં ચકલા તેમજ નાના પક્ષીઓ માટે પાણીના પરબ (કુંડા ) ભરવા પ્રતિજ્ઞા પૂર્વક અપીલ કરાય  પાણીના પરબ થી પક્ષી પાણી પીધા વગરના ના જાય ભવિષ્યમાં પક્ષી ઓનો કલરવ સાંભળવો હોય તો પાણી ના પરબ ચકલાઘર અને વૃક્ષો ના વાવેતર વધારો કરો ની અપીલ કરી હતી

ગલોબીંગ વોર્મીંગની અસર હોય અને ઉનાળાની અસહ્ય ગરમી હોય તો આપણે ગરમીથી બચવું હોય તો વૃક્ષ ઉછેર કરો શ્રધ્ધાળુ ભાવિક ભક્તો બધાની વાડીએ કે ખેતર ૧-૧ વૃક્ષો ઉછેરી એ અને સૃષ્ટિને નંદનવન બનાવીએ એવું સૂચન કર્યું.તેમજ રામદેવ ક્થા દરમિયાન પાણીના પરબનું વિતરણ કથાના વકતા અને મંદિરના મહંત દ્વારા કરવામાં આવેલ મહંત શ્રી પરેશબાપુ અને કથાકાર દ્વારા બાબા રામદેવ મંડળના તમામ સભ્યોને મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું

Related Posts