અમરેલી

અમરેલી જિલ્લામાં દરેક ગામે ખેતી,ખેડૂતો, ગામડાઓના સર્વાંગી વિકાસ માટે દરેક ગામે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદની રચના થશે : દિલીપ સંઘાણી

ગુજરાત રાજ્ય એ ખેતી આધારિત રાજ્ય છે. રાજ્યના સર્વાંગી વિકાસમાં ખેતી, ખેડૂતો, ખેત મજુરો, પશુપાલકો, ખેત આધારિત ઉદ્યોગ – વ્યવસાયનો ખુબ મોટો ફાળો રહ્યો છે.વર્તમાન સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગામડાઓના વિકાસને લગતી અનેક યોજનાઓ છે. અને સરકારનાણાકીય ગ્રાન્ટો પણ મોટા પ્રમાણમાં ફાળવે છે. ત્યારે સ્થાનિક સ્તરે પંચાયત અને સેવા સહકારી મંડળીઓના સમન્વય થકી વિકાસને આગળ ધપાવવાની ને ઈફકોના ચેરમેન અને કૃષિ અને ગ્રામવિકાસ પરિષદના સંસ્થાપક શ્રી દિલીપ સંઘાણી એ વ્યક્ત કરી છે.

આજે દશેરાના પવિત્ર દિવસે શ્રી દિલીપ સંઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, પવિત્ર નવરાત્રીના તહેવારો પછી વિજયાદશમી દિને સંકલ્પ બન્ધ બનીને રાજ્યના દરેક ગામ, તાલુકા અને જિલ્લા અને રાજ્ય સ્તરે કૃષિ અને ગ્રામવિકાસ પરિષદનું સંગઠન ઉભું કરવામાં આવશે. તેનો હેતુ ભાંગતાં ગામડાઓવિકાસ તરફ આગળ વધે, ખેતીમાં આમુલ પરિવર્તન લાવીને આધુનિક ખેતી તરફ રોજગારી ઉભી કરવી, રાજ્યમાં પશુપાલન વ્યવસાય, મત્સઉદ્યોગ વ્યવસાય. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વોકલ ફોર લોકલ અને સ્વરોજગારલક્ષી માહિતી, માર્ગદર્શન સાથે જન સેવાના વિવિધ કાર્યો, ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, આરોગ્ય કેમ્પો, તેમજ લોક સમસ્યા અને લોકપ્રશ્નોને સંગઠનના માધ્યમથી વાંચા આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું છે કે, સેવાના મંત્રનું બીજ અમરેલી થી રોપીને રાજ્ય ભરમાં સંગઠન ઉભું થશે. અમરેલી જિલ્લાના દરેક ગામે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદની સ્થાપના કરવામાં આવશે. અને ગામના વિકાસમાં જ્ઞાતિ – જાતિથી પર રહીને સંગઠનના માધ્યમ દ્વારા સેવાની બુલંદ જ્યોત ઉભી થશે. અમરેલી જિલ્લાનાયુવાનો, ખેડૂતો, ખેત મજુરો,પશુપાલકો, નાના – મોટા વ્યવસાયકારો, વિદ્યાર્થીઓ, રત્નકલાકારો, સહીત જિલ્લામાં વસતા અઢારેય આલમના લોકોને આ સંગઠનમાં જોડાવા માટે શ્રી દિલીપ સંઘાણીએ અપીલ કરી છે. કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ સાવલીયાની વરણીથયેલી છે.

Related Posts